સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરવાનો મામલો: દિલ્હીની તીસ હજારી કોર્ટે વિભવ કુમારની આગોતરા જામીન અરજી ફગાવી, સાંજે થઈ હતી ધરપકડ
- 18 May, 2024
સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરવાના મામલામાં ધરપકડ કરવામાં આવેલા વિભવ કુમારની આગોતરા જામીન અરજીને દિલ્હીની તીસ હજારી કોર્ટે આજે ફગાવી દીધી છે. વિભાવ કુમારની જામીન અરજીને કોર્ટે અર્થહીન ગણાવી છે. આ અંગે સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે વિભવ કુમારની આજે સાંજે 4.15 કલાકે ધરપકડ કરવામાં આવી છે. તે પહેલા ચુકાદાને અનામત રાખવામાં આવ્યો હતો. પોલીસ આજે વિભવને કોર્ટમાં રજૂ કરે તેવી શક્યતા છે. પોલીસ વિભવના રિમાન્ડની માંગ કરશે. પોલીસ એ જાણવાની કોશિશ કરશે કે સ્વાતી માલીવાલે જે મારપીટનો આરોપ લગાવ્યો છે, તેની પાછળ શું જવાબદાર છે. પોલીસની તપાસ એફઆઈઆરના આધારે આગળ વધી રહી છે. પોલીસ વિભવને લઈને સીએમ આવાસ પર પણ જશે.
સ્વાતિ માલીવાલે વિભવ વિરુદ્ધ નોંધાવેલી FIRમાં ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. એફઆઈઆરમાં સ્વાતિએ કહ્યું કે હું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમની કેમ્પ ઓફિસમાં મળવા ગઈ હતી. ઓફિસ ગયા બાદ મેં સીએમના પીએસ વિભવ કુમારને ફોન કર્યો પરંતુ મારો સંપર્ક થઈ શક્યો નહીં. પછી મેં તેમના મોબાઈલ નંબર પર (વોટ્સએપ દ્વારા) મેસેજ મોકલ્યો. જોકે કોઈ જવાબ આવ્યો ન હતો. તે પછી હું ઘરના મુખ્ય દરવાજાથી અંદર ગઈ હતી. જે પ્રમાણે હું છેલ્લા વર્ષોથી જતી આવી છું
13 મેના રોજ સ્વાતિ માલીવાલ પર મારપીટની ઘટના સામે આવી હતી અને તેણે અરવિંદ કેજરીવાલના નજીકના વિભવ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તે પછી તેણે એફઆઈઆર નોંધાવી અને શુક્રવારે કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું જેમાં વિભવ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા. કેસ નોંધ્યા પછી, દિલ્હી પોલીસ તેની ધરપકડ કરવા માટે વિભવના સ્થાનની સતત તપાસ કરી રહી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ